ગ્રહણ કરવાનું તારે જ છે.
હુતા: મા, દિવ્ય બળોની ગતિ ધીમે જણાય છે જ્યારે દિવ્યતાથી વિપરીત બળો સત્વરે મારી ચેતનામાં ધસી જઈ બધું જ અસ્તવ્યસ્ત કરી નાખે છે. એમ કેમ
શ્રી મા: કારણ કે તારો પોકાર જોઈએ તેટલા પ્રમાણમાં સાચો નથી અને દિવ્ય કૃપામાં તારો વિશ્વાસ પૂરતો નથી.
હું આપું છું અને આપતી રહીશ. પણ મહત્ત્વની વાત એ છે કે ગ્રહણ કરવાનું તારે જ છે.
૧ જૂન ૧૯૫૫
સંદર્ભ : શ્વેત ગુલાબ