પૂજાલાલ દલવાડી

જન્મ

  • ૧૭  જૂન-૧૯૦૧, નાપા – જિ,ખેડા

અવસાન

  • ૨૭  ડિસેમ્બર – ૧૯૮૫, પોંડિચેરી

કુટુમ્બ

  • માતા – ?, પિતા – રણછોડદાસ
  • પત્ની -? , સંતાન -?

શિક્ષણ

  • પ્રાથમિક, માધ્યમિક – ગોધરા, નડિયાદ
  • ૧૯૧૮ – મેટ્રિક

તેમના વિશે વિશેષ

  • ઇન્ટર સુધી પહોંચ્યા બાદ અભ્યાસ છોડી દીધો.
  • અંબાલાલ પુરાણીના સમ્પર્કથી રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ અને શ્રી અરવિંદના આધ્યાત્મિક જીવન પ્રત્યે આકર્ષણ અને દેશભક્તિ તથા ચારિત્ર્યશુદ્ધિના સંસ્કાર.
  •  ૧૯૨૩માં એકાદ વર્ષ કોસિન્દ્રાની ગ્રામશાળામાં વ્યાયામ શિક્ષક.
  • ૧૯૨૬ થી પોંડિચેરીમાં સ્થાયી વસવાટ.

રચનાઓ

  • કવિતા – પારિજાત, પ્રભાતગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રશસ્તિ, મહાભગવતી, પાંચજન્ય, મુક્તાવલી, શુક્તિકા, દુહરાવલી, ગુર્જરી, વૈજ્યન્તિ, અપરાજિતા, કાવ્યકેતુ, સોપાનિકા, શતાવરી, દુઃખગાથા, ધ્રુવપદી, શબરી
  • બાળ સાહિત્ય –  બાલગુર્જરી, કિશોરકાવ્યો, કિશોરકુંજ, કિશોરકાનન, કિશોરકેસરી, મીરાંબાઈ’ – ગીતનાટિકા
  • ગદ્ય – છંદપ્રવેશ, શ્રી અરવિંદ : જીવનદર્શન અને કાર્ય, સાવિત્રી સારસંહિતા’
  • અન્ય ભાષા – સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ કેટલાક ગ્રંથો
  • અનુવાદ
    • કવિતા – સાવિત્રી-ભા.૧-૬, મેઘદૂત
    • ગદ્ય – પરમ શોધ, શ્રી અરવિંદનાં નાટકો, શ્રી માતાજીની શબ્દસુધા

સાભાર 

  • ગુજરાતી સાહિત્ય કોશ
  • વિકિપિડિયા
  • શ્રી. પી.કે.દાવડા