પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી એ વિચાર આપણો માર્ગદર્શક શું ન બની રહે ?
ઉત્તર : કેવો વિચાર ? મનોમય વિચાર કયારેય પણ આંશિક તેમજ અજ્ઞાન માર્ગદર્શકથી વધુ કંઇ બની શકે જ નહિ.
પ્રશ્નઃ શારીરિક વિચારોનું કાર્ય શું છે ?
ઉત્તર : તેઓ શારીરિક વસ્તુઓ સામાન્ય પ્રકારના બાહ્ય અનુભવો, ટેવ મુજબના વિચારો અને કાર્યોમાં રચ્યાપચ્યા રહે છે. શારીરિક મન આ વસ્તુઓ પ્રત્યે ઉપર છલ્લી દૃષ્ટિથી જુએ છે; વસ્તુઓ જેવી દેખાતી હોય છે એ જ રીતની એને માની લઈને એની જોડે સામાન્ય કહી શકાય એવી રીતનો વ્યવહાર કરતું હોય છે.
પ્રશ્ન : જ્યારે મનનું ચેતસિકરણ થઈ જશે ત્યારે નિમ્ન કક્ષાની શક્તિઓમાંથી આવતા વિચારો આપમેળે દિવ્ય વિચારોમાં રૂપાંતરિત થઈ જશે ખરું?
ઉત્તર : હા, અથવા તો એ વિચારો ખરી જશે અને પછી કયારેય આવશે જ નહિ.
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…
પ્રશ્નઃ મનસનું કાર્ય શું છે ? ઉત્તર : વસ્તુઓનો અનુભવ કરવો અને એના પ્રત્યે મનોમય…