1. જીવન યજ્ઞમાં જરૂરી છે ચારેય વર્ણ-શક્તિઓની જરૂરિયાત

જીવન એક ખોજ-યાત્રા છે-

  • આપણું સમગ્ર જીવન સત્ય અને જ્ઞાનની ખોજ માટેની અવિરત યાત્રા છે –  તે માટે જરૂરી છે, બ્રાહ્મણની જ્ઞાન-શક્તિની.

જીવન એક સંઘર્ષ-યાત્રા છે –

  • આપણું સમગ્ર જીવન આપણી પોતાની અંદરની આંતર-શક્તિઓ અને આજુબાજુની બાહ્ય-શક્તિઓ સાથે આપણી સંકલ્પ-શક્તિની સતત સંઘર્ષ યાત્રા છે –તે માટે જરૂરી છે, ક્ષત્રિયનાં બળ-સામર્થ્ય અને આત્મ-સંયમની શક્તિની.

જીવન એક કૌશલ-શાળા છે –

  • જીવનમાં જરૂરી વસ્તુઓનું ઉપાર્જન અને ઉત્પાદન કરવું અને જીવન-પર્યાવરણ સાથે અનુકૂળશીલતા બનાવી રાખવી એ એક કૌશલ્ય છે- તે માટે જરૂરી છે વૈશ્યની કૌશલ્ય-શક્તિની.

જીવન એક યજ્ઞ-શાળા છે –

  • જીવનમાં જે ગતિશીલતા છે – એક આગેકૂચ છે તેનું ચાલક બળ છે શ્રમ અને સેવા શક્તિ – તે માટે જરૂરી છે શૂદ્રની પૂર્ણ આત્મ-સમર્પણની શક્તિ.

વ્યક્તિ પોતાની મનુષ્યત્વ પ્રતિની જન્મોજન્મની યાત્રા ચારેય શક્તિઓના વિકાસ સાધતા કઈ રીતે સિદ્ધ કરી શકે?

  • મનુષ્યનું મનુષ્યત્વ ત્યારે જ પૂર્ણ રીતે નિખરે જ્યારે તે પોતાની જાતને વિશાળ બનાવી આ ચારેય શક્તિઓને પોતાની અંદર ધારણ કરી શકે અને પોતાની પ્રકૃતિને ચતુર્વિધ આત્માની સર્વતોમુખી પૂર્ણતા અને વિરાટ શક્તિ સામર્થ્ય પ્રતિ અધિકાધિક પોતાની જાત ખુલ્લી કરે.
  • જો કે ચારોમાંથી એક શક્તિ અન્યોનું નેતૃત્વ કરી શક્તિ હોય છે. શરૂમાં મનુષ્યની અંદર આ ચારેય શક્તિઓ અનગઢ પણે – અવ્યવસ્થિત રૂપે કાર્ય કરતી હોય છે, પરંતુ ઉત્તરોત્તર જન્મોમાં એક કે બીજી શક્તિઓનો વિકાસ સાધતા સાધતા પરસ્પર શક્તિઓના સહારે તે સમગ્ર વિકાસ તરફ વધતો હોય છે.
શ્રી અરવિંદ

Recent Posts

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.17

પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.16

પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.15

પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.14

પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…

6 years ago

‘સાવિત્રી’ ના પ્રતીકાત્મક પાત્રો

‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.13

પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ,  એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…

6 years ago