12. વર્ણ-વ્યવસ્થાના સાંસ્કૃતિક આદર્શ સાથે ગહન આધ્યાત્મિક અર્થ અને ઉપયોગિતા જોડી દેવું એ છે ગીતાના ઉપદેશનું સાચું પ્રદાન

આ આર્થિક કર્મ-વિભાગની સાથે એક સાંસ્કૃતિક વિચાર પણ જોડવામાં આવ્યો હતો જેને પરિણામે પ્રત્યેક વર્ગને પોતાને એક ધાર્મિક રિવાજ, રૂઢિ, મોભાનું ધોરણ, નૈતિક નિયમ, યોગ્ય કેળવણી, ધંધાનું શિક્ષણ, ચારિત્યની વિશેષતા , કુટુંબનો આદર્શ અને શિસ્ત એને પ્રદાન કરતો હતો. પરંતુ વાસ્તવિક-જીવન અને આદર્શ-જીવન હંમેશા મેળમાં હોય એવું હોતું નથી – માનસિક આદર્શ અને પ્રાણિક તથા ભૌતિક વ્યવહાર વચ્ચે હંમેશાં એક ખાઈ તો રહે જ છે પરંતુ એ બંને વચ્ચે મેળ જાળવવા માટે બની શકે એટલો ભારે પ્રયત્ન કરવામાં આવતો હતો. ભૂતકાળના એ પ્રયત્નનું મહત્વ અને એને લઈને સાંસ્કૃતિક આદર્શ અને વાતાવરણે સામાજિક માનવને તૈયાર કરવા માટે જે ફાળો આપ્યો હતો તેનું મુલ્ય જેટલું આંકીએ તેટલું ઓછું છે. આજે એ મૂલ્ય કેવળ ઐતિહાસિક છે,- ભૂતકાળ અને સમુત્ક્રાંતિ પૂરતું એનું મૂલ્ય છે. છેવટ જતાં, જ્યાં જ્યાં એ વર્ણ-વ્યવસ્થા વિદ્યમાન રહી હતી ત્યાં ત્યાં એને, ઓછા વધારે પ્રમાણમાં, ધાર્મિક મંજૂરી મળી હતી( પૂર્વમાં વધારે, યુરોપમાં ઓછી) તથા ભારતમાં એનો એક વધારે ગહન આધ્યાત્મિક અર્થ અને ઉપયોગ સાથે જોડી દેવામાં આવ્યો હતો. એ આધ્યાત્મિક મુલ્ય જ ગીતાનો વાસ્તવિક સાર – સાચો ઉપદેશ છે.

શ્રી અરવિંદ

Recent Posts

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.17

પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.16

પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.15

પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.14

પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…

6 years ago

‘સાવિત્રી’ ના પ્રતીકાત્મક પાત્રો

‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.13

પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ,  એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…

6 years ago