14. બ્રાહ્મણ-શક્તિ માટે જરૂરી અન્ય વર્ણોની શક્તિ

બ્રાહ્મણ-શક્તિ સાથે જરૂરી ક્ષાત્ર-શક્તિ:

જ્ઞાની મનુષ્યમાં બૌધિક અને નૈતિક સાહસ, સંકલ્પ અને નિર્ભયતા તથા નવા નવા જ્ઞાનના રાજ્યોના દ્વાર ખોલી તેને જીતી લેવાનું સામર્થ્ય નથી હોતું તો તે સ્વતંત્રરીતે  અને પૂર્ણતા સાથે સત્યની સેવા નથી કરી શકતો. આ ગુણના અભાવ થકી તે સીમિત બુદ્ધિનો ગુલામ બની જાય છે અથવા એક કોરા સ્થાપિત જ્ઞાનનો સેવક અથવા વધુમાં વધુ એ એક કર્મકાંડી પુરોહિત બની રહી જાય છે.

બ્રાહ્મણ-શક્તિ સાથે જરૂરી વૈશ્ય-શક્તિ:

પોતાના જ્ઞાનને સર્વોત્તમ લાભમાં તો જ લાવી શકાય જો તેની પાસે સત્યોને જીવનનાં વ્યવહારમાં ક્રિયાન્વિત કરવાનું અનુકૂળ કૌશલ્ય હોય અન્યથા તે કેવળ વિચારોમાં જ વિચરતો પંડિત બની રહે છે.

બ્રાહ્મણ-શક્તિ સાથે જરૂરી શૂદ્ર-શક્તિ:

બ્રાહ્મણ પોતાના જ્ઞાનને પૂર્ણતયા સમર્પિત નથી કરી શકતો જયાં સુધી તેનામાં માનવજાતિ પ્રતિ, મનુષ્યમાં સ્થિત પ્રભુ પ્રતિ, પોતાના જ સ્વામી એવા પ્રભુ-પ્રતિ સેવાની ભાવના ના હોય.

શ્રી અરવિંદ

Recent Posts

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.17

પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.16

પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.15

પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.14

પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…

6 years ago

‘સાવિત્રી’ ના પ્રતીકાત્મક પાત્રો

‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.13

પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ,  એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…

6 years ago