ચાતુર્વર્ણ્યની અસલ સત્ય તે એનું બાહ્ય સ્વરૂપ નથી, પરંતુ આપણા અંતરઆત્માની ક્રિયાશીલ શક્તિ છે. આધ્યાત્મિક પ્રકૃતિની ચતુર્વિધ સક્રિય શક્તિ એ છે એનું સત્ય. પ્રત્યેક જીવ પોતાની આધ્યાત્મિક પ્રકૃતિમાં આ ચારેય પાસાને ધારણ કરતો હોય છે–
- પહેલું પાસું છે જ્ઞાનમય સત્તા,
- બીજું પાસું છે બળ એટલે કે શક્તિ સત્તા,
- ત્રીજું પાસું છે પારસ્પરિકતા એટલે કે આદાન– પ્રદાન આત્મક સત્તા, અને
- છેલ્લું પાસું છે સેવાત્મક સત્તા.
પરંતુ કાર્યમાં અને તેની અભિવ્યક્તિમાં એમાંનું એક કે બીજું પાસું આગળ પડતું હોય છે તથા જીવન વ્યવહારમાં આત્મા જે સ્થૂલ પ્રકૃતિ સાથે વ્યવહાર કરે છે તેને એ પાસું પોતાના રંગે રંગી દે છે. અન્ય શક્તિઓનું નેતૃત્વ કરી તેની ઉપર પોતાની છાપ લગાવી દે છે અને એમને કર્મ, પ્રવૃત્તિ અને અનુભૂતિના કાર્યમાં પ્રયોજે છે. ત્યાર પછી સ્વભાવ સામાજિક વર્ણ વિભાગમાં પ્રતિપાદિત થયેલ કર્તવ્યો–ભેદ અનુસાર સ્થૂળ અને અફર સ્વરૂપે નહીં પરંતુ સૂક્ષ્મ રીતે સ્થિતિસ્થાપકતા સહિત અનુસરે છે અને એનો વિકાસ સાધતાં સાધતા અન્ય ત્રણ શક્તિઓનો વિકાસ કરે છે. આ રીતે જોતા કર્મ અને સેવાની શુદ્ર વૃત્તિનો યથાર્થ રીતે અનુસરણ કરવામાં આવે તો એનાથી જ્ઞાનનો વિકાસ થાય છે, શક્તિમાં વૃદ્ધિ થાય છે, પરસ્પર ઘનિષ્ઠતા કે પૂર્વાપર સંબંધ વધે છે.
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…