25.सर्वधर्मान परित्यज्य -ને ચરિતાર્થ કરી શકાશે

અને અંતમાં, આ ચતુર્વિધ કર્મના દિવ્યતમ રૂપ અને અત્યંત ક્રિયાશીલ આત્મશક્તિને પ્રાપ્ત કરવું એ જ સર્વોચ્ચ આધ્યાત્મિક સિદ્ધિ પ્રતિની વિશાળ વાસ્તવિકતાના દ્વારે પહોંચવાનો શીઘ્રગામી માર્ગ છે. આ આપણે ત્યારે જ કરી શકીએ જ્યારે આપણે આપણા સ્વધર્મની ક્રિયાઓને અંતરયામી પ્રભુ, વિશ્વગત પરમાત્મા અને પરાત્પર પુરૂષોતમની પૂજામાં પરિણત કરી દઈએ.

અંતે સંપૂર્ણ કર્મને જ એમના હાથોમાં આપી દઈએ- मयि संन्यस्य कर्माणि (5.13). અને જ્યારે આપણે ગુણાતીત બની જઈશું ત્યાર પછી જ ચાતુર્વણ્યના ભેદોથી ધર્મોની સીમાઓ વટાવી सर्वधर्मान परित्यज्य – (18.66) ને ચરિતાર્થ કરી શકાશે.

ત્યાર પછી જ ઈશ્વર વ્યક્તિને વિશ્વગત સ્વભાવમાં ઉઠાવી આપણી અંદર ચતુર્વિધ પ્રકુતિના આત્માને પૂર્ણ બનાવી દે છે તથા જીવાત્મામાં વિરાજમાન પ્રભુના દિવ્ય સંકલ્પ અને શક્તિ અનુસાર કર્મોને સંપન્ન કરે છે.

શ્રી અરવિંદ

Recent Posts

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.17

પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.16

પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.15

પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.14

પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…

6 years ago

‘સાવિત્રી’ ના પ્રતીકાત્મક પાત્રો

‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.13

પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ,  એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…

6 years ago