4. શૂન્ય મન અને સ્થિર મન વચ્ચેનો તફાવત

શૂન્ય મન અને સ્થિર મન વચ્ચેનો તફાવત આ પ્રમાણે છે : જયારે મન શૂન્ય એટલે કે ખાલી હોય છે ત્યારે એમાં એક પણ વિચાર, એક પણ વિભાવન કે કલ્પના, કોઇ પણ પ્રકારની માનસિક ક્રિયા હોતી નથી, સિવાય કે વિચાર રૂપે સાકાર થયેલ નથી એવું વસ્તુમાંનું મૌલિક સંવેદન. પરંતુ સ્થિર મનમાં માનસિક સત્વનું વસ્તુ જ પ્રશાંત થઇ ગયું હોય છે, એટલું પ્રશાંત કે એમાં કશાથી ક્ષોભ થતો જ નથી. એવા સ્થિર મનમાં વિચારો કે માનસિક પ્રવૃતિઓ આવે તો પણ તે એ મનમાંથી ઉદભવતી નથી, પણ બહારથી આવતી હોય છે અને પવનની લહેર વગરના સ્તબ્ધ વાતાવરણમાં જેમ પંખીઓનું ટોળૂ આકાશમાં થઈને પસાર થઇ જાય તેમ એ વસ્તુઓ સ્થિર મનમાંથી પસાર થઇ જાય છે. એ વસ્તુ એમાં થઇને પસાર થાય છે એ ખરું, પરંતુ પસાર થતી વેળા કશો પણ ક્ષોભ ઉત્પન્ન કરતી નથી, કશી અસર પાછળ મૂકતી નથી. હજારો રૂપો અથવા તો ઉગ્ર ઘટનાઓ એવા મનમાં થઇને પસાર થાય તો પણ એની સ્થિર પ્રશાંતતા જેવીને તેવી રહે છે, જાણે કે એ માનસિક પટનું પોત સનાતન, અવિનાશી શાંતિના પદાર્થનું જ બનેલું ન હોય, આ જાતની સ્થિથરતાને પ્રાપ્ત થયેલું મન પોતે કાર્યનો આરંભ કરી શકે છે. સમર્થ પણે અને તીવ્રતાપૂર્વક પણ કાર્ય કરી શકે છે, છતાં એની મૌલિક પ્રશાંતતા તો એવી રહેશે કારણ કે પોતામાંથી તે કશાનો, કોઇ પણ કર્મનો, આરંભ જ નહિ કરતું હોય, ૫રંતુ ઉર્ધ્વમાં રહેલ પ્રભુ તરફથી જે કાંઇ આવશે તેને પોતાનામાં ગ્રહણ કરશે તથા એમાં પોતાના તરફથી કાંઇ પણ ઉમેર્યા વિના તેને કેવળ માનસિક આકાર આપશે અને એ કાર્ય તે સ્થિરતાપૂર્વક, આવેશ વિના કરશે છતાં એ પોતે પ્રવૃતિમાં રહેલ સત્યનો આનંદ અનુભવશે અને પોતાનામાં થઇને સત્ય ગતિ કરતું હોવાને લઇને તેની સુખદાયી શકિતનો અને જયોતિનો અનુભવ પણ તેને થશે.

શ્રી અરવિંદ

Recent Posts

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.17

પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.16

પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.15

પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.14

પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…

6 years ago

‘સાવિત્રી’ ના પ્રતીકાત્મક પાત્રો

‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.13

પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ,  એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…

6 years ago