8. નીરવ મનની સ્થિતિ -અચંચળતા કરતાં આગળની સ્થિતિ

અચંચળતા કરતાં નીરવતા આગળની સ્થિતિ છે. એને પ્રાપ્ત કરવા માટે અંતરના ઊંડાણમાં રહેલા માનસિક સ્તરમાંથી ૫ણ વિચારોને પૂરેપૂરો દેશવટો આપીને તેને તદન નીરવ બનાવી દેવું જોઇએ, યા તો વિચારોને એ સ્તરથી તદન બહાર રાખવા જોઇએ. પરંતુ આના કરતાં ઊર્ધ્વમાંથી તેનું અવતરણ કરાવવું એ નીરવતાને સ્થાપન કરવાનો વધારે સહેલો ઉપાય છે. સાધક એ નીરવતાને પોતાની અંદર અવતરી એટલે ઉપરથી ઊતરતી અને પોતાની ચેતના પર અધિપત્ય સ્થાપિત કરતી, તેની અંદર પ્રવેશ કરતી યા તો તેની આજુ બાજુ ફરી વળતી અનુભવે છે. ત્યાર પછી વ્યકિતની ચેતના અસીમ, અપૌરુષેય નીરવતામાં લય પામવાની વાંછના કરે છે.

શ્રી અરવિંદ

Recent Posts

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.17

પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.16

પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.15

પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.14

પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…

6 years ago

‘સાવિત્રી’ ના પ્રતીકાત્મક પાત્રો

‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.13

પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ,  એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…

6 years ago