9 -Peace, calm, quiet, silence – એ દરેક શબ્દના અર્થની છાયા

Peace, calm, quiet, silence  એ દરેક શબ્દના અર્થની છાયા જુદી જુદી છે. પરંતુ એની વ્યાખ્યા આપવી સહેલી નથી. આપણે કંઇક આવા પર્યાયો યોજી શકીએ.

Peace – શાંતિ

Calm – સ્થિરતા

Quiet – અચંચળતા

Silence – નિશ્ચલ નીરવતા

અચંચળતા એટલે મનની એવી સ્થિતિ જેમાં ચંચળતા કે ક્ષોભ બિલકુલ ન હોય.

સ્થિરતા એટલે મનની એવી પ્રશાંત અચલ સ્થિતિ કે જેના પર કોઇ પણ પ્રકારના ક્ષોભની અસર ન થાય.આ સ્થિતિ અચંચળતા કરતાં ઓછી અભાવાત્મક હોય છે.

શાંતિ એ વધારે ભાવાત્મક સ્થિતિ છે. એથી અચલ અને સંવાદમય આરામનો અને મુકિતનો ભાવ સૂચવાય છે.

નિશ્ચલ નીરવતા એ એવી સ્થિતિ છે જેમાં મનની કે પ્રાણની કોઇ પણ ક્રિયા થતી નથી. યા તો જેમાં મહાન પ્રશાંતિ  અનુભવાય છે. અને ચેતનાની સપાટી પર થનાર કોઇ પણ ક્રિયા તેનો ભંગ કરી શકતી નથી યા તો તેમાં ફેરફાર કરી શકતી નથી.

શ્રી અરવિંદ

Recent Posts

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.17

પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.16

પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.15

પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.14

પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…

6 years ago

‘સાવિત્રી’ ના પ્રતીકાત્મક પાત્રો

‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.13

પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ,  એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…

6 years ago