
- This event has passed.
નવસારી – ત્રિદિવસીય શિબિર
December 20, 2018 @ 10:00 am - December 22, 2018 @ 12:30 pm

તા. 21 ડિસેમ્બર ૧૯૮૨ના રોજ નવસારી કેંદ્રમાંં શ્રી અરવિંદના ‘દિવ્યાંશ’ પધરાવવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષોની પરંંપરા મુજબ આ વર્ષે પણ એક ત્રિદિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષનો વિષય રાખવામાંં આવ્યો છે:
વિષય : ભારતીય સંસ્કૃતિની ચાતુર્વર્ણ વ્યવસ્થા- શ્રી અરવિંદના પ્રકાશમાં
આ વિષયને ઊંંડાણથી સમજવા માટે શ્રી અરવિંદના મહાન ગ્રંથો- યોગમાર્ગનો સમન્વય, ગીતા નિંબંધો, ભારતીય સંસ્કૃતિના પાયા તેમજ ‘ વંદેમાતરમ’માં પ્ર્કાશિત થયેલ આ વિષય ઉપર આધારિત લેખોનો આધાર લેવાનો પ્રયત્ન કરવામાંંઆવશે.
શ્રી અરવિંદના ગ્રંથોને કેંદ્ર સ્થાને રાખી આ વિષય ઉપર જે સાધક્મિત્રોએ કોઈ અભ્યાસ લેખે તૈયાર કર્યો હોય અથવા તૈયારી કરી પ્રસ્તૃત કરવા ઈચ્છ્તો હોય તો તેમણે નવસારી કેંદ્રના આયોજકનો સંપર્ક કરવો.
(નોંધ :પ્રસ્તૃતિ ફ્કત ૪૦ થી ૪૫ મિનિટની મર્યાદામાં રહેશે. દૃશ્ય-શ્રાવ્ય માધ્યમથી પોતાની અભિવ્યક્તિ કરી શક્શે)
આ વિવાદાગ્રસ્ત વિષય ઉપર ચિંતન-મનન કરવા માટે સર્વે ઉત્સુક અને અભ્યાસુ સાધકોને હાર્દિક નિમંત્રણ નવસારી કેંદ્ર પાઠવે છે.
આ ત્રિદિવસીય શિબિર માટેનો વિસ્તૃત કાર્યક્રમ હવે પછી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
નિમંત્રક:
શ્રી અરવિંદ યોગ સાધના કેંદ્ર – નવસારી