પ્રશ્ન : જાતિય આવેગનું કેન્દ્ર કયાં આવેલું છે ?
ઉત્તર : કરોડરજજુના તળિયેના ભાગમાં છેક નીચેનું કેન્દ્ર.
પ્રશ્નઃ આજકાલ હું મસ્તકમાં ભમ્મરો વચ્ચે તથા મસ્તકની ટોચ ઉપર દબાણ અનુભવી રહ્યો છું. આમ થવાનું કારણ શું ?
ઉત્તર : આ બે છેક ઉપરનાં કેન્દ્રો છે અને અવતરિત થતી શક્તિ પ્રથમ એ કેન્દ્રોને સ્પર્શે છે.
પ્રશ્ન : ઊર્ધ્વ પ્રાણ એટલે શું ?
ઉત્તર : હૃદય અને ક્રિયાશીલ પ્રાણ હૃદય કેન્દ્ર તેમજ નાભિ કેન્દ્ર.
વર્ષ – ૧૯૩૪
પ્રશ્ન : માતાજીનું સંગીત સાંભળતી વખતે મને એમ લાગ્યું કે મારામાં કંઈ અવતરિત થઇ રહ્યું છે. ગળાના ભાગ સુધી એ અવતરણ તીવ્રપણે, અનુભવાયું હતું.
ઉત્તર : ગળા સુધી એની અસર અનુભવવામાં આવી એનો અર્થ એ કે વિચાર કરતા સમગ્ર મનમાં એ અવતરણ થયું પરંતુ તેથી આગળ નહિ.
પ્રશ્નઃ ચક્રોને લગતી બાબતમાં કરોડરજ્જુ શું ભાગ ભજવે છે ?
ઉત્તર : કરોડરજ્જુ એ ચક્રોનો આધાર છે, અને તાંત્રિક સાધનામાં કરોડરજ્જુ દ્વારા જ કુંડલિની ઉપર ચઢે છે.
પ્રશ્નઃ કુંડલિની શું છે ?
ઉત્તર : કુંડલિની એ મૂલાધારમાં સુપ્તાવસ્થામાં રહેલી યૌગિક શક્તિ છે. બીજાં ચક્રોમાં એ શક્તિ સામાન્ય ચેતનાથી આચ્છાદિત રહે છે. જ્યારે એ જાગ્રત થાય છે ત્યારે ઊર્ધ્વમાં આવેલી બ્રાહ્મિક (દિવ્ય) ચેતના સાથે જોડાઈ જવા માર્ગમાંના દરેક કેન્દ્રમાંથી પસાર થઈ એ આરોહણ કરે છે. નિમ્ન ચેતના ઊર્ધ્વ ચેતના સાથે જોડાઈ જવા એના તરફ આરોહણ કરે છે અને ઊર્ધ્વ ચેતના નિમ્ન ચેતનાનું રૂપાંતર કરી દેવા એની અંદર અવતરણ કરે છે. આપણી સાધનામાં આ જ છે ચેતનાનો સિદ્ધાંત.
પ્રશ્ન : માતાજી જે મદદ મોકલી રહ્યાં હોય છે તેનો મુક્ત પ્રવાહ હું જ્યારે ગ્રહણશીલ હોઉં છું તે સમય દરમિયાન અનુભવી શકું છું. એ પ્રવાહ સહેલાઇથી મારા મસ્તક તથા કપાળમાં થઇને નીચેની બાજુએ પસાર થઈ જાય છે.
ઉત્તર : એ દર્શાવે છે કે આંતર મનનાં કેન્દ્રો ઉદ્ઘાટિત તેમજ સચેતન બન્યાં છે.
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…