25.सर्वधर्मान परित्यज्य -ને ચરિતાર્થ કરી શકાશે
અને અંતમાં, આ ચતુર્વિધ કર્મના દિવ્યતમ રૂપ અને અત્યંત ક્રિયાશીલ આત્મશક્તિને પ્રાપ્ત કરવું એ જ સર્વોચ્ચ આધ્યાત્મિક સિદ્ધિ પ્રતિની વિશાળ વાસ્તવિકતાના દ્વારે પહોંચવાનો શીઘ્રગામી માર્ગ છે. આ આપણે ત્યારે જ કરી શકીએ જ્યારે આપણે આપણા સ્વધર્મની ક્રિયાઓને અંતરયામી પ્રભુ, વિશ્વગત પરમાત્મા અને પરાત્પર પુરૂષોતમની પૂજામાં પરિણત કરી દઈએ.
અંતે સંપૂર્ણ કર્મને જ એમના હાથોમાં આપી દઈએ- मयि संन्यस्य कर्माणि (5.13). અને જ્યારે આપણે ગુણાતીત બની જઈશું ત્યાર પછી જ ચાતુર્વણ્યના ભેદોથી ધર્મોની સીમાઓ વટાવી सर्वधर्मान परित्यज्य – (18.66) ને ચરિતાર્થ કરી શકાશે.
ત્યાર પછી જ ઈશ્વર વ્યક્તિને વિશ્વગત સ્વભાવમાં ઉઠાવી આપણી અંદર ચતુર્વિધ પ્રકુતિના આત્માને પૂર્ણ બનાવી દે છે તથા જીવાત્મામાં વિરાજમાન પ્રભુના દિવ્ય સંકલ્પ અને શક્તિ અનુસાર કર્મોને સંપન્ન કરે છે.