3. બ્રાહ્મણની આત્મશક્તિઓ
જયોતિર્મય મનનો પ્રાદુર્ભાવ –
- જે સર્વે વિચારો, જ્ઞાન, અવતરિત થતાં સત્યો પ્રતિ વધારેને વધારે ઉદઘાટિત થતું જય છે.
જ્ઞાન માટેની ઉત્કંઠા અને આતુરતા –
- પોતાના આત્મા વિકાસ માટે,
- બીજાઓ પ્રતિ તેને વહેવડાવવા માટે,
- જગતમાં જ્ઞાનનું, સત્યનું, ઋતનું , ન્યાયનું શાસન સ્થપાય એ માટે
- આપણી મહત્તર સત્તા ઉપર ઉચ્ચત્તર સામજ્જ્સ્ય પ્રવર્તે તથા
- આત્મા અને તેની વૈશ્વિક એકતા, જયોતિ અને પ્રેમનાં શાસન માટેની ઉત્કટ અભિલાષા
મન અને સંકલ્પમાં પ્રાદુર્ભાવ થતી જ્યોતિર્મયી શક્તિ-
- જે સમગ્ર જીવનને બુદ્ધિ પ્રતિ, સત્ય પ્રતિ, ઋત પ્રતિ, આત્મ પ્રતિ આધીન કરી દે છે.
- નિમ્નત્તર કરણોને તેમના મહત્તર સિધ્ધાંત પ્રતિ તાબે કરી દે છે.
સ્વભાવમાં સંતુલિત સ્થિતિનો પ્રાદુર્ભાવ –
- જે સંકલ્પો અને આવેગોના તોફાનોને વશીભૂત કરી પ્રશાંત કરી દે છે.
- આરંભથી જ ધૈર્યશીલ, પ્રશાંત, ચિંતનશીલ, ઉચ્ચ ચિંતન અને નિર્મળ જીવન પ્રતિ અગ્રેસર બની રહેતી હોય છે.
આત્મશાસિત સાત્વિક મન-
- જે ધીમે ધીમે અધિકાધિક કોમળ, ઉદાત્ત, નિર્વ્યક્તિત્વ સંપન્ન તથા વિશ્વાત્મભાવ યુક્ત વ્યક્તિત્વમાં વિકસિત થતું જાય છે.