8. વૈશ્ય-પ્રકૃતિની શક્તિઓ
વૈશ્ય-પ્રકૃતિની શક્તિઓ:
- પારસ્પરિક વિનિમયની વિશાળતા – ઉદારતા
- જીવનનાં સંબંધોની ઉપયોગીતાથી વાકેફ
- મુકતહસ્ત વ્યય તથા પુનઃ ઉપાર્જન
- જીવન-જીવન વચ્ચે પ્રચુર આદાન-પ્રદાન
- જીવનની ગતિવિધિઓ સાથે પોતાને અનુકુળ બનાવી દેવું
- ફળદાયી અને ઉત્પાદનશીલ જીવનના લયતાલ અને સંતુલનનો પૂર્ણ ઉપભોગ અને ઉપયોગ
કૌશલ શક્તિ:
- કાયદા કાનુનનું નિર્માણ કરી પાલન કરે છે.
- સંબંધોની મર્યાદાઓ અને ઉપયોગીતાથી વાકેફ હોય છે.
- કોઈપણ સુનિચ્ચીત કે વિકાસશીલ ગતિવિધિઓ સાથે પોતાને અનુકુળ બનાવી દે છે.
- વસ્તુઓનું ઉત્પાદન કરે છે જીવનના બાહ્ય સર્જનોને પૂર્ણ બનાવે છે.
- ધનપ્રાપ્તિને સુનિચ્ચીત કરી વિકાસ તરફ પગલાં માંડે છે.
- વ્યવસ્થા બાબતે સતર્ક અને પ્રગતિ બાબતે સાવધાન રહે છે.
- જીવનના સમસ્ત ઉપકરણો તથા સાધનો તથા લક્ષ્યોનો અધિકાધિક લાભ ઉઠાવે છે.
પોતાની સંપતિને વ્યય કરવાની શક્તિ:
- મુકતવ્યયતા તથા મિતવ્યયતા એમ બન્નેમાં કુશળ હોય છે.
- પારસ્પરિક આદાન-પ્રદાનનાં મહાન નિયમને અનુસરતી આ શક્તિ મોટી માત્રામાં લુટાવવા માટે સંગ્રહ કરતી હોય છે. આ રીતે આદાન-પ્રદાનનાં પ્રવાહને તથા જીવનની ફલાદાયીતા-ઉત્પાદન શક્તિને સમૃદ્ધ કરે છે.
દાન તથા પચુરમાત્રામાં સર્જનશીલતાની શક્તિ :
- ઉદારતાની શક્તિ , પરસ્પર સહાય કરવાની અને બીજાને ઉપયોગી બનવાની વૃત્તિ જે ઉન્મુક્ત આત્મા માટે નિષ્પક્ષ પરોપકાર, માનવહિત તથા વ્યવહારિક ધોરણે પરમાર્થનો મૂળ સ્ત્રોત બની રહે છે.
ઉપભોગની શક્તિ:
ઉત્પાદનશીલ, સંગ્રહ્પરાયણતા, ક્રિયાશીલ સમૃધ્ધિ જે જીવનના ફળદાયી આનંદનો વિલાસિતા સાથે ભોગ કરે છે.