પ્રશ્ન : આજે બેવડા પ્રકારનું દબાણ અનુભવાયું. એક આંખોના પાછળ ના ભાગમાંથી આવતું હતું. બીજું બંને કાનમાં પ્રવેશ પામ્યું હતું અને એ બંનેનું મિલન મુખમાં થયું.
ઉત્તર : એ આંતર મન તેમજ બાહ્ય મન (અભિવ્યક્તિ કરતું મન) બંને પર દબાણ દર્શાવે છે – કદાચ એ બંનેની ક્રિયાઓને એ જોડી આપે છે. મુખના નીચેના ભાગ પરનું સમગ્ર દબાણ હંમેશ અભિવ્યક્તિ કરતાં મન (શારીરિક ને મનોમય) પરનું કાર્ય દશવિ છે. એનું ચક્ર ગળામાં આવેલું છે.
પ્રશ્નઃ મસ્તકના વચ્ચેના ભાગમાં કંઈક ખૂલી રહ્યું હોય એવું અનુભવાય છે. એ કયો ભાગ છે ? શું ત્યાં કોઇ ચક્ર છે ?
ઉત્તર : એ બ્રહ્મરંધ છે, જેના દ્વારા શરીરની અંદર ઉચ્ચ તેમજ નિમ્ન ચેતના વચ્ચે સંપર્ક સધાતો હોય છે. એ માર્ગ છે, ચક્ર નહિ. ચક્ર તો એ ભાગમાં મસ્તકની ઉપર સહસ્દલ કમલ આવેલું, છે તે છે. હૃદય કેન્દ્રમાં જે સ્થાન છે તે ચૈત્યપુરુષના ઉદ્ઘાટન માટેનું સ્થાન છે. હાલ તમે જે કરી રહ્યા છો એ છે પરમાત્મા પ્રત્યેનું ઉપરની દિશાનું ખુલ્લાપણું અને એને માટે આંતર મનનું કેન્દ્ર એ યોગ્ય સ્થાન છે. હૃદય કેન્દ્ર એ માત્ર ચૈત્ય પુરુષનું જ સ્થાન છે એવું નથી. ચૈત્ય તત્વને આવરી રહેલ લાગણીપ્રધાન પ્રાણતત્ત્વનું સ્થાન પણ હૃદય કેન્દ્રમાં જ છે.
પ્રશ્ન : કોઇક વખત નાભિ કેન્દ્ર પાસે મને શૂન્યાકારની લાગણી થઈ આવે છે. એ આંતર કે બાહ્ય પ્રાણનું કેન્દ્ર છે ?
ઉત્તર : એ આંતર પ્રાણનું કેન્દ્ર છે. પરંતુ ત્યાં જે લાગણી થઈ આવે છે તે બાહ્યમાં પણ વિસ્તરી શકે છે.
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…